નાગરીક ફરજો, માહિતી, માર્ગદર્શન, જાગૃતિ

સ્વચ્છતા સ્વચ્છતા ના વિષયમાં આપણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.સ્વચ્છતા એ કોઈ પ્રવૃત્તિ નહીં પરંતુ આપણા મન ની રચનાં સાથે જોડાયેલી બાબત છે.સ્વચ્છતા નું પોતાનું એક આગવું મહત્વ છે.સ્વચ્છતા રાષ્ટ્રભક્તિનો જ એક ભાગ છે. આજકાલ જાહેર જગ્યાએ થુંકવું ,કચરો ફેકવો એ આપણે મન બહુ સામાન્ય બાબત બની ગઇ છે આ નકારાત્મક વર્તણુક માંથી બહાર આવવું અતિ જરૂરી છે.ગાંધીજી એ જોયેલા સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ચલાવતા સ્વચ્છ ભારત અભિયાનનો આપણે પણ સક્રિય ભાગ બનીએ. આપણું લક્ષ Self Hygiene થી આગળ વધી Social Hygiene હોવું જોઇયે.

કોઈપણ શહેરને સ્વચ્છ,હરિયાળું બનાવવા નાગરિકોનું યોગદાન અતિ જરૂરિ છે.જે નાગરિકો પોતની સ્વચ્છતા-પર્યાવરણ કે અન્ય આદર્શ-લોકઉપયોગી પ્રવૃત્તિ દ્વારા શહેરની જાળવણી ,સુંદરતામાં વધારો કરે છે એવી પ્રવૃતિઓ અહીં દર્શાવામાં આવશે અને યોગ્ય પ્રકારે સન્માનિત કરવામાં આવશે.
આપની પ્રવૃત્તિની ટૂંકી માહિતી નીચે દર્શાવેલાં ઈ મેઈલ ઉપર મોકલવા વિનંતી..
amrelicityin@gmail.com

આપણું શહેર સ્વચ્છ શહેર

01 May 2023

અમરેલી નગરપાલિકા વિસ્તારને રૂડો - રૂપાળો - સ્વચ્છ - સુવિધાયુક્ત બનાવવા માટે ટિમ નગરપાલિકા સંકલ્પબદ્ધ છે

101 _ fire _ ઇમર્જનસી સેવા_નગરપાલિકા અમરેલી

01 May 2023

કુદરતી- માનવસર્જિત આફતોમાં સૌથી વિકરાળ આફત એટલે આગ ,અને આ આગ સામે બાથ ભીડનાર ટિમ એટલે ફાયર બ્રિગેડ વિભાગ..

અમૃતકાળ બજેટ_નગરપાલિકા અમરેલી બજેટ _ 2023-24

01 May 2023


રોશનીનો ઉજાસ પાથરવા સ્ટ્રીટલાઈટ માટે
1.5 કરોડ(અંદાજીત).

ઓ.જી વિસ્તારના રસ્તાઓ માટે 6.50 કરોડ(અંદાજીત) .

અમૃત 2.0 યોજના હેઠળ હિરકબાગ ખાતે નવી પાણી વ્યવસ્થાનું આયોજન.